૧) તા.૧૮-૦૯-૨૦૨૩ ના રોજ વેબસાઈટ ઉપર હાલ કામ ચલાઉ મેરીટ યાદી પ્રસિદ્દ કરેલી છે આ યાદી ને આખરી યાદી ન ગણી તેના આધાર પર સ્કોલરશીપ માટે કોઈ હક કે દાવો કરી શકાશે નહિ.ઉક્ત યાદીમાં મળેલ વાંધા અને વાંધાની પૂર્તતા થયા બાદ જરૂરી સુધારા કર્યા પછી અત્રેથી ઠરાવની જોગવાઈ મુજબ આખરી મેરીટ યાદી પ્રસિધ્દ કરવામાં આવશે તેના આધારે સ્કોલરશીપ ચુકવણી માટે આખરી નિર્ણય લેવામાં આવશે.
૨) મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ઠરાવની જોગવાઈ મુજબ આખરી(final) મેરીટ યાદીમાં સમાવેશ વિદ્યાર્થીઓ ઠરાવની જોગવાઈ પ્રમાણે એમ્પેનલ થયેલ માધ્યમિક ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઈનાન્સ કે તમામ માધ્યમિક સરકારી શાળાઓ પૈકી ની શાળામાં પ્રવેશ લેવાની જવાબદારી સંપૂર્ણ પણે વિદ્યાર્થી કે વિદ્યાર્થીના વાલીની રહેશે.
3) મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન તા. ૦૭/૧૧/૨૦૨૩ સુધી કરી શકાશે.
4) મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન તા. ૦૭/૧૧/૨૦૨૩ સુધી કરી શકાશે.